Skip to main content

Posts

Showing posts with the label jamnagar news

latest news rajkot

રાજકોટ:  ગઈકાલે બપોરના સમયે કુવાડવા પોલીસની હદમાં રાજકોટ પોલીસે ચાર શાર્પશૂટરોને દબોચી લીધા હતા. ચારેય જણ જામનગરના અશફાક ખત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેની હત્યાની સોપારી દાઉદના ભાઈ અનિશ ઈબ્રાહિમે આપી હતી. જો કે, ગઈકાલે સાંજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ખત્રીને લાવવામાં આવ્યો હતો. જેના મોબાઈલમાં પોલીસને અનિશ ઈબ્રાહિમનો વોટ્સએપ નંબર મળી આવ્યો હતો. વોટ્સએપ પર બંને વચ્ચે શું વાતચીત થતી તેની તપાસ થઈ રહી છે.  એક મહિનાથી ખત્રીને ધમકી મળતી હોવાની આશંકા રાજકોટ લઈ આવેલા વેપારી અશફાકની પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેને કોઈ ધમકી ન મળી હોવાનું અને તેને આ વાતનો કોઈ ખ્યાલ ન હોવાનો દેખાવો કર્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બંને વચ્ચે વોટ્સએપ પર એક મહિનાથી વાતચીત થતી હોવાની શંકા છે. અનિશ વોટ્સએપ પર ધમકી હોવાની શંકા સેવાઈ રહી છે. કાલે માટે ખત્રીએ કરાવી હતી મુંબઈની ફ્લાઈટ ટિકિટ બુક ચાર શાર્પશૂટર ખત્રીનું ઢીમ ઢાળવા માટે મહારાષ્ટ્રથી વાયા અમદાવાદ થઈ રાજકોટ આવી રહ્યા હતા. ત્યારે તેણે જામનગરથી મુંબઈની સાંજની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી. કયા કારણસર તેની શાર્પશ...